અર્થવ્યવસ્થા ફક્ત ઉદ્યોગ, ખેતી અને સેવાઓ સુધી જ સીમિત નથી, પરંતુ તેમાં માનવીય સંભાળનું ઘણું મહત્વ છે.

“સંભાળ” એટલે બાળકો, વૃદ્ધો, બીમાર અને અશક્ત લોકોની દેખભાળ અને ઘરના કામકાજ.

ઘણા સમયથી સંભાળના કામને અર્થવ્યવસ્થામાં ન દેખાતું અને બિન-પગારદાર માનવામાં આવે છે.

 

સંભાળ ક્ષેત્રનું મહત્વ

સંભાળ કાર્ય સમાજની પાયાની જરૂરિયાતને સંતોષે છે.

સ્વસ્થ કુટુંબ અને સમાજ માટે દેખભાળ ખૂબ જ જરૂરી છે.

કાળજી લીધા વિના કામદારોની ઉત્પાદકતા અને આર્થિક વિકાસ શક્ય નથી.

 

હાલની પરિસ્થિતિ:

ભારતમાં દેખભાળનું લગભગ બધું જ કામ સ્ત્રીઓ દ્વારા કરવામાં આવે છે.

આ કામને આર્થિક રીતે કોઈ મૂલ્ય મળતું નથી.

સ્ત્રીઓ પર બેવડી જવાબદારીનો (ઘર અને નોકરી) બોજ રહે છે.

 

નવા અભિગમની જરૂરિયાત

વધતું શહેરીકરણ અને ન્યૂક્લિયર કુટુંબ વ્યવસ્થા.

વૃદ્ધ લોકોની વસ્તીમાં વધારો.

મહિલાઓની વધતી જતી શ્રમ બજારમાં ભાગીદારી.

કામ અને પરિવાર વચ્ચે સંતુલિત કરવાની જરૂરિયાત.

 

સંભાળને આર્થિક ઓળખ આપવી:

સંભાળ કાર્યને અર્થતંત્રના એક હિસ્સા તરીકે ગણવું.

બિનપગારી સંભાળ કાર્યનું મૂલ્યાંકન કરવું.

રાષ્ટ્રીય આવકની ગણતરીમાં સંભાળ કાર્યને સ્થાન આપવું.

 

સરકારની ભૂમિકા:

બાળ સંભાળ કેન્દ્રો (આંગણવાડી, ક્રેચ)ને વધુ મજબૂત બનાવવા.

વૃદ્ધ અને અપંગ લોકો માટે સામાજિક સુરક્ષા.

કામ કરતી મહિલાઓ માટે ડે-કેર જેવી સુવિધાઓ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

modal close icon
Download pdf